કથિત લિકર કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને જામીન મળ્યા બાદ હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેજરીવાલે CBI કેસમાં પોતાની ધરપકડને પડકાર આપવાની સાથે જામીન માટે અરજી કરી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકને મની લૉન્ડ્રિંગ કેસમાં પહેલા જ સુપ્રીમ કોર્ટ વચગાળાના જામીન આપી ચુક્યું છે.

