IPL 2025 પૂર્ણ થયા બાદ ભારતીય ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસ પર જશે, જ્યાં ટીમ ઈંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. આ સિરીઝ પહેલા જ ભારતના બે સિનીયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આવી સ્થિતિમાં હવે ભારતીય ટીમને રોહિત શર્માની જગ્યાએ નવો કેપ્ટન મળશે. શુભમન ગિલ અપેક્ષા મુજબ, ભારતીય રેડ-બોલ ટીમનો કેપ્ટન બનવા માટે તૈયાર છે. 25 વર્ષીય પંજાબનો બેટ્સમેન, વનડેમાં રોહિત શર્માનો વાઈસ કેપ્ટન છે, તે હવે જૂન-જુલાઈમાં ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમનું નેતૃત્વ કરશે. શનિવારે (24 મે) ભારતીય ટીમના નવા ટેસ્ટ કેપ્ટનની જાહેરાત થશે. ચાલો જાણીએ આ સિવાય ટીમમાં બીજા ક્યા ખેલાડીને સ્થાન મળશે તેના વિશે.

