ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડના પ્રવાસે જવાની છે, જ્યાં ટીમ ઈન્ડિયા યજમાન ટીમ સામે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ પ્રવાસની પહેલી મેચ હેડિંગ્લી ગ્રાઉન્ડ પર રમાશે, જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ 31 જુલાઈથી કેનિંગ્ટન ઓવલ ગ્રાઉન્ડ પર રમાશે. આ ટેસ્ટ સિરીઝ ટીમ ઈન્ડિયા માટે એક નવા યુગની શરૂઆત પણ કરશે, જેમાં શુભમન ગિલ પહેલીવાર કેપ્ટનશિપ સંભાળશે.

