આગામી 27મી જૂને અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે,જેના માટે આજે જળયાત્રા યોજાવાની છે. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિર અને સરસપુર મંદિરમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રા નીકળે છે.. હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી સાથે નિકળનારી જળયાત્રા સાબરમતી નદીના ભુદરના આરે પહોંચશે.

