
NTA દ્વારા લેવાયેલી JEE Mainના પરિણામો જાહેર થયા છે. જેમાં સુરતના વિદ્યાર્થીઓ હીરાની જેમ ચમક્યાં છે. સુરતના કલ્પ શાહે શહેરમાં પ્રથમ નંબર મેળવવાની સાથે સાથે દેશમાં 34મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આગમ શાહે રેન્ક 87 અને મોક્ષ ભટ્ટે રેન્ક 142, રાજ આર્યને 874મો રેન્ક હાંસલ કર્યા છે. જ્યારે હેત અકબરીએ 1065 અને આરવ કાપડીયાએ 1150મો રેન્ક મેળવ્યો છે. પાસ થનારા તમામે આઈઆઈટી મુંબઈમાં આગળનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ આ સફળતા વિદ્યાર્થીઓને તેમની આકરી અને રોજે રોજની મહેનતના કારણે મળી હોવાનું કહ્યું હતું.
મુંબઈ IITમાં એડમિશન લેવાની ઈચ્છા
એલનમાં અભ્યાસ કરનારા કલ્પ શાહે કહ્યું કે, “મારી સફળતાનો શ્રેય મારી પેરેન્ટ્સ, મેન્ટર્સ અને મારી સતત મહેનતને જાય છે. મારે આગળ IIT Bombayમાં એડમિશન લેવાનું છે. સાથે જે એડવાન્સની પણ તૈયારીઓ કરી રહ્યો છું. આ સફળતા માટે રોજ રોજની તૈયારી અને એનસીઆરટી પર ખાસ ભાર મુક્યો હતો. જેના કારણે આ સફળતા પ્રાપ્ત થઈ છે.
NCERT પર ફોક્સ કર્યુ
આકાશમાં અભ્યાસ કરનાર હેત અકબરી અને આરવ કાપડિયાએ કહ્યું કે, અમે પહેલા જ દિવસથી એનસીઈઆરટી પર ફોક્સ કર્યું હતું. રોજે રોજ રિવિઝન કર્યું હતું. આ એક પડકારજનક પરીક્ષા હોવાથી રોજની અમે 8 કલાક જેવી તૈયારીઓ કરી રહ્યાં હતાં. ખાસ ડાઉટ પર ભાર મૂક્યો હતો. જેથી જે પણ પ્રશ્નો આવે તે અમે તૂરંત જ ક્લિયર કરાવી લેતા હતાં. જેથી હવે એડવાન્સની પરીક્ષામાં પણ આસાનીથી સારા રેન્ક સાથે પાસ થવાની આશા છે.
પાંચ માર્ક વધ્યાં છે
નારાયણામાં અભ્યાસ કરનાર આગમ શાહે કહ્યું કે, હું ખુશ છું કે મારું સપનું સાકાર થયું. હું રેગ્યુલર પ્રેક્ટિસ અને રિવિઝનથી આ સિદ્ધિ સુધી પહોંચી શક્યો છું. મારી આ સફળતા માટે રોજની પ્રેક્ટિસની સાથે સાથે જૂના પેપર અને આપવામાં આવતાં પેપરની પ્રેક્ટિસ કરતો હતો. સાથે જ રિવિઝન અને ડાઉટ સોલ્વ સતત કરતો હતો. હાલ મેઈન બાદ એક મહિના પછી મારી એડવાન્સની પરીક્ષા છે. તેમાં પણ આવું જ રિઝલ્ટ આવે તે માટે તૈયારી કરી રહ્યો છું. ફાઈનલ આન્સર કીથી મને પાંચ માર્ક વધ્યાં છે. જે મારા માટે સારી બાબત છે.
ગુજકેટમાં સફળતાની આશા
જહાંગીરબાદની ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં શાળાના 8 વિદ્યાર્થીઓ 90 PR થી પણ વધુ સ્કોર કરવામાં સફળતા મળી છે. પટેલ જૈમીન જયંતભાઈ 98.98 PR સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું હતું. સાથે સાથે AIR 2813 માં સફળતા રેન્ક પ્રાપ્ત કરી છે.આ વિદ્યાર્થીનો ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષા ગુજકેટમાં પણ ૧૨૦ ગુણ માંથી ૧૨૦ ગુણ મેળવાનો દ્રઢસંકલ્પ વ્યક્ત કર્યો છે.
રત્નકલાકારના સંતાને માર્યુ મેદાન
કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતાં 87 વિદ્યાર્થીઓમાંથી 90+ PR પ્રાપ્ત કરનાર 55 વિદ્યાર્થીઓ છે. 95+ PR. પ્રાપ્ત કરનાર 31 વિદ્યાર્થીઓ છે. 98+ PR. પ્રાપ્ત કરનાર 15 વિદ્યાર્થીઓ , અને , 99+ PR. પ્રાપ્ત કરનાર 07 વિદ્યાર્થીઓ છે. જેમાં પ્રથમ ક્રમ કગથરા ધ્રુવને મળ્યો છે. ધ્રુવને એડવાન્સ ક્લિયર કરીને મુંબઈ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.
ગુજરાતી માધ્યમમાં ચમક્યો
પી.પી. સવાણી સ્કુલના ટોટલ 32 વિદ્યાર્થીઓએ 99+ PR મેળવી સમગ્ર ભારતમાં સુરત શહેરનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત ટોટલ 90 વિદ્યાર્થીઓએ 98+ PR લાવીને NIT/ IIT જેવી એન્જીનીયરીંગ કોલેજમાં જવાનો રસ્તો સરળ કર્યો હતો. ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરીને પણ ઉચ્ચ કારકિર્દીનો રસ્તો બનાવી શકાય છે તેનું ઉત્તમ ઉદાહરણ જોગાણી તીર્થ અશ્વિનભાઈએ પૂરું પડી સમગ્ર ભારતમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું છે. અને ગુજરાતી માધ્યમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણા રૂપ બન્યો હતો.
56 વિદ્યાર્થીઓએ માર્યુ મેદાન
જેઈઈ મેઇન્સનું પરિણામ જાહેર થયું તેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય વેડરોડ સુરતના વિદ્યાર્થી વિઠાણી કીર્તન રાજેશભાઈ એ 12 Sci. ની JEE MAIN SE-O2* માં શ્રેષ્ઠતમ્ પરિણામ લાવીને ગુરુકુલ તથા જ્ઞાનમંજરી બંને સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય વેડરોડ સુરત ના છ વિદ્યાર્થીઓએ એઆઈઆર 500 માં સ્થાન મેળવ્યું છે જ્યારે 17 વિદ્યાર્થીઓએ એઆઇઆર 1000 માં સ્થાન મેળવ્યું છે. તો 56 વિદ્યાર્થીઓએ ટોપ AIR 5000મા સ્થાન મેળવ્યું છે. તેમજ 8 વિદ્યાર્થીઓ ૯૯ પીઆર લાવેલા છે.આ અઘરી અને અગત્યની ટેસ્ટમાં 90+ PR. લાવનાર 17 તેમજ 80+PR. લાવનાર 37 વિદ્યાર્થીઓને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના મહંત સ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામીજીએ ચાંદલો કરી ને તથા વિદ્યાલય ના આચાર્યશ્રી અરવિંદભાઈ ઠેશીયા , ધર્મેશભાઈ સલીયા તેમજ રામજીભાઈ રાંક વગેરે શિક્ષકોને શુભ આશીર્વાદ પાઠવેલા.