જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખ્યા છે અને કોઈ કારણસર તમારે આ સમયગાળા દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરવી પડશે, તો તમારે તમારી સાથે ચિપ્સ, પુરી, શાક જેવી વસ્તુઓ પેક કરવાની જરૂર નથી, કારણ કે IRCTCએ ઉપવાસ કરનારાઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. જેમાં લસણ અને ડુંગળી વગરનું ભોજન, ડ્રાય ફ્રૂટ્સ, ફળો, જ્યુસ, દૂધ, પીવાનું સ્વચ્છ પાણી અને જૈન થાળી પણ મળશે. મુસાફરો હવે આ વસ્તુઓ ટ્રેનમાં જ આરામથી ખાઈ શકશે.

