અઢારમાં દ્વાપરયુગમાં ઋૃતંજ્ય નામના વ્યાસ થયાં એમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી શિખંડી નામના યોગીશ્વર બનીને આવ્યાં. ઓગણીસમાં દ્વાપરયુગમાં ભારદ્વાજ મુનિ વ્યાસ બનીને આવ્યાં ત્યારે તેમને માર્ગદર્શન આપવા માટે મહાદેવજી માલી નામના યોગીશ્વર બનીને આવ્યાં. વીસમાં દ્વાપરયુગમાં ગૌતમ જ્યારે વ્યાસ બનીને આવ્યાં ત્યારે મહાદેવજીએ અટ્ટહાસ નામના યોગીશ્વરનો અવતાર ધારણ કર્યો અને વ્યાસજીને માર્ગદર્શન આપ્યું.

