મેરઠમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં મુસ્કાન અને સાહિલની જેમ પતિની હત્યા કર્યા પછી પોતાને બચાવવા માટે એક ભયાનક કાવતરું રચ્યું હતું. આ હત્યાની ઘટનામાં વાદળી ડ્રમને બદલે ઝેરીલો સાપ ખરીદવામાં આવ્યો. પતિની હત્યા કર્યા પછી પત્ની રવિતાએ સાપને પલંગ પર છોડી દીધો. પાછળથી એવો દાવો કરવામાં આવ્યો હતો કે તેના પતિને ઊંઘમાં સાપે 10 વાર ડંશ દેતા મોત થયું હતું. પરંતુ જ્યારે આ યુવાનનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે આખી ઘટનામાં ભાંડો ફૂટ્યો હતો.

