Ahmedabad news: અમદાવાદ શહેર સહિત રાજ્યમાં ચોમાસાની સિઝનને સત્તાવાર આગમનને એક પખવાડિયા કરતાં વધુ સમય થઈ ગયો છે. ત્યારે અમદાવાદ શહેર સહિત ગ્રામ્યમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ઝાડા-ઊલ્ટી, ટાઈફોઈડ, કમળાના કેસોમાં સતત વધારો થતા નાગરિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. શહેરના રામોલ, વટવા, હાથીજણ અને સરસપુરમાં કોલેરાના સતત કેસો વધી રહ્યા છે જેથી એએમસી તંત્ર માટે પણ માથાનો દુખાવો થઈ રહ્યો છે. શહેરમાં રોગચાળાના કેસો વધી જતા તંત્ર અને જનતા માટે કફોડી સ્થિતિ સર્જાઈ છે.

