
ગુરુવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ક્રેશ થયું હતું. તેમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા હતા. આ આઘાતજનક ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. રિલાયન્સ પરિવારે એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
મુકેશ અંબાણીએ કહ્યું- સમગ્ર રિલાયન્સ પરિવાર દુઃખી છે
દેશના ઉદ્યોગપતિ એક મુકેશ અંબાણીએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના પર કહ્યું કે તેઓ અને નીતા અંબાણી સાથે જ સમગ્ર રિલાયન્સ પરિવાર આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે. અમે આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.
તેમણે વધુમાં કહ્યું કે આ દુઃખની ઘડીમાં રિલાયન્સ રાહત કાર્ય સાથે ઉભી છે અને શક્ય તેટલી મદદ કરવા માટે પણ તૈયાર છે. ઉપરાંત તેમણે કહ્યું કે અમે પ્રાર્થના કરીએ છીએ કે આ અસહ્ય નુકસાનથી પ્રભાવિત તમામ લોકોને શક્તિ અને શાંતિ મળે.