IPL 2025માં આજે (1 જૂન) સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ (PBKS) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ક્વોલિફાયર 2 રમાશે. MI એ એલિમિનેટરમાં ગુજરાત ટાઈટન્સ (GT) ને હરાવીને ક્વોલિફાયર 2માં સ્થાન મેળવ્યું છે. જ્યારે પંજાબ કિંગ્સ (PBKS) ને ક્વોલિફાયર 1માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે અય્યરની ટીમને હવે ક્વોલિફાયર 2 રમવી પડશે. આ દરમિયાન ક્વોલિફાયર 2 પહેલા MIની ટીમનું ટેન્શન વધી ગયું છે. ચાલો તમને તેનું કારણ જણાવીએ.

