જેમના બાળકો નથી, તેઓ તેમના માટે ઝંખે છે પરંતુ મુંબઈમાં એક અપરિણીત દંપતીએ તેમના નવજાત બાળકને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. અ દંપતીએ નવજાત બાળકને એક અનાથાશ્રમ પાસે ભાવનાત્મક પત્ર સાથે ત્યજી દીધું હતું. જેમાં લખ્યું હતું "બેટા અમને માફ કરો". તેમને ડર હતો કે સમાજ તેમને કલંકિત કરશે.

