Operation Sindoor: પહેલગામ હુમલાનો બદલો લેવા માટે 'ઓપરેશન સિંદૂર' હેઠળ મંગળવારે રાત્રે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને PoKની અંદર મિસાઇલોથી નાશ પામેલા નવ આતંકવાદી ઠેકાણાઓમાં પંજાબ પ્રાંતના બહાવલપુરમાં આવેલ મરકઝ સુભાન અલ્લાહ એક છે. આ આતંકવાદનું કેન્દ્ર હતું, જેના વિનાશથી સમગ્ર પાકિસ્તાનમાં શોક છવાઈ ગયો છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું ઘર હતું, જ્યાં તેનો મોટો પરિવાર રહેતો હતો. મસૂદ અઝહર પોતે 2001માં સંસદ પર થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. મરકઝ પરના મિસાઇલ હુમલામાં તે બચી ગયો હોવા છતાં, મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા.

