સુરતને ભારતમાં “ઓર્ગન સીટી” તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાંથી ફરી એકવાર માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે. પાસોદરા ખાતે રહેતા ૫૭ વર્ષીય ક્રિષ્નાબેન હસમુખભાઈ પટેલના હાથ, કિડની, લીવર અને આંખોનું મહાદાન કરવામાં આવ્યું. આ દાનના માધ્યમથી છ અલગ વ્યક્તિઓને નવી જિંદગી મળી છે.

