VIDEO: વડોદરા જિલ્લામાં આવેલા પાદરાનો ગંભીરા બ્રિજ ધરાશાયી થવા મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. તેમને રાજ્ય સરકારને આડે હાથ લીધા હતા. તેમને જણાવ્યું કે, રાજ્યની ભાજપ સરકારની પાપે ગુજરાતમાં આવી વારંવાર ઘટનાઓ બને છે. ગુજરાતમાં ઘણા નિર્માણાધીન બ્રિજ ધરાશાયી થયા છે. રિપેરિંગ માટે સોંપાયેલા બ્રિજ પણ તૂટી પડયા છે.

