પહેલગામમાં આતંકી હુમલામાં 28 લોકોના મોત બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. પહેલગામ હુમલાનો બદલો લેવા ભારત એરસ્ટ્રાઇક કરશે તેવી ભીતીને પગલે પાકિસ્તાન સેના-એરફોર્સ એલર્ટ પર રાખ્યા છે. ભારતે સિંધુ કરાર અટકાવ્યો છે અને પાકિસ્તાનના રાજદ્વારીઓને કાઢી મૂક્યા છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યા હતા.

