Home / World : UN Secretary General spoke to Pakistan Prime Minister and Indian Foreign Minister, condemned Pahalgam attack

UN ના મહાસચિવે પાકિસ્તાનના વડાપ્રધાન અને ભારતના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત, પહેલગામ હુમલાની કરી નિંદા

UN ના મહાસચિવે પાકિસ્તાનના વડાપ્રધાન અને ભારતના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત, પહેલગામ હુમલાની કરી નિંદા

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આજે પાકિસ્તાનના વડાપ્રધાન મુહમ્મદ શાહબાઝ શરીફ અને ભારતના વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર સાથે ટેલિફોન દ્વારા વાત કરી. મહાસચિવે 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી. મહાસચિવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી અને દુ:ખદ પરિણામો લાવી શકે તેવા મુકાબલાને ટાળવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે તણાવ ઘટાડવાના પ્રયાસોને સમર્થન આપવા માટે પોતાનો સહયોગ આપ્યો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ટ્વીટ કર્યું, "યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસનો ફોન આવ્યો. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તેમની સ્પષ્ટ નિંદાની પ્રશંસા કરું છું. જવાબદારીના મહત્વ પર સંમત છું. ભારત આ હુમલાના ગુનેગારો, આયોજકો અને સમર્થકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કટિબદ્ધ છે."

Related News

Icon