ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય સેના દ્વારા પહલગામ હુમલાનો બદલો લીધા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બીજી બાજુ ભારતમાં સૌથી વધારે પ્રસિદ્ધ ટૂર્નામેન્ટ IPL 2025 ચાલુ છે. હવે IPLને લઈને મોટા સમચાર સામે આવ્યા છે, જેમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સમાચારના એક દિવસ પહેલા બુધવારે (7 મે) નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

