ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી આજે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીના રોડ શો માટે વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો આવી શકે તે માટે એસટી વિભાગે બસો દોડાવી હતી. પીએમ મોદીના વડોદરાના રોડ શોમાં લોકોને લઈને આવનાર એક એસટી બસ ડ્રાઈવરનું મોત થયું છે. વડોદરામાં એસટી બસ ડ્રાઈવર મિતેષ જાડિયાનું હૃદય રોગના હુમલાને પગલે મોત થયું છે.

