જમ્મુ-કાશ્મીના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પાકિસ્તાન દ્વારા કચ્છમાં ડ્રોન હુમલાના પ્રયાસો થયા હતા ત્યારે આજે રક્ષામંત્રી રાજનાથ સિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં એરફોર્સ, BSF અને આર્મીના અધિકારીઓ-જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી હતી.

