ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ તાત્કાલિક અસરથી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ટીમ નવા કેપ્ટન સાથે ઇંગ્લેન્ડ પ્રવાસ પર જશે. રોહિત શર્માને ટેસ્ટ મેચોમાં રમવા અંગે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. ૩૮ વર્ષીય ખેલાડી પોતાની કારકિર્દીના બીજા ભાગમાં ભારતના સૌથી સફળ ટેસ્ટ બેટ્સમેનોમાંના એક હતા. જોકે, રોહિત શર્મા ODI ક્રિકેટમાં રહેશે. આ પહેલા રોહિત શર્મા ટી20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.

