રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંતીય પ્રચારકોની 3 દિવસીય વાર્ષિક બેઠક રવિવાર (6 જુલાઈ) ના રોજ પૂર્ણ થઈ હતી. RSSની બેઠકમાં સંઘના શતાબ્દી વર્ષ માટેની સંગઠનાત્મક બાબતો અને યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સંગઠને દેશ સામેના વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની સાથે ભાષા વિવાદ પર પણ ચર્ચા કરી હતી. સંઘ હંમેશા માનતો રહ્યો છે કે, ભારતની તમામ ભાષાઓ રાષ્ટ્રીય ભાષાઓ છે અને બધા લોકો પહેલાંથી જ પોતાની ભાષામાં શિક્ષણ મેળવે છે.

