22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ 6-7મેની રાત્રે પાકિસ્તાન અને PoKમાં 9 આતંકવાદી સ્થળો પર મિસાઇલ હુમલા કર્યા હતા. જૈશ-એ-મોહમ્મદનો ગઢ ગણાતા બહાવલપુર અને લશ્કર-એ-તૈયબાના અડ્ડા મુરીદકે પર એરસ્ટ્રાઇક કરી હતી. ભારતે આ ઓપરેશનને Operation Sindoor નામ આપ્યું હતું. હવે આ ઘટના પર RSSની પ્રતિક્રિયા આવી છે.

