ભારતમાં નમકનો વધુ પડતો ઉપયોગ એક મોટી સમસ્યા બની ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિઓલોજી (ICMR-NIE) ના વૈજ્ઞાનિકોના મતે, વધુ નમક ખાવાના કારણે લોકો હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક, હૃદય રોગ અને કિડનીની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. આ સમસ્યાને ઘટાડવા માટે, વૈજ્ઞાનિકોએ એક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેઓ ઓછા સોડિયમવાળા મીઠાના ઉપયોગને પ્રોત્સાહન આપી રહ્યા છે.

