નેપાળના બીરગંજમાં હનુમાનજીની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન બીરગંજના છપૈયા વિસ્તારમાં તણાવ હતો. તોફાનીઓ દ્વારા વ્યાપક તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પરિસ્થિતિને જોતા કર્ફ્યુનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

