Home / Sports : Bad news about Jasprit Bumrah before IPL 2025

IPL 2025 પહેલા જસપ્રીત બુમરાહ વિશે ખરાબ સમાચાર, મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો

IPL 2025 પહેલા જસપ્રીત બુમરાહ વિશે ખરાબ સમાચાર, મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો મોટો ઝટકો

ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ વિશે ખરાબ સમાચાર આવ્યા છે. જસપ્રીત બુમરાહ હજુ સુધી પીઠની ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો નથી, તેથી તે મુંબઈ ઈન્ડિયન્સ (MI) વતી IPL 2025 ની શરૂઆતની કેટલીક મેચો રમી નહીં શકે. આ મુંબઈ ઈન્ડિયન્સ અને તેના ચાહકો માટે મોટો ફટકો છે. બુમરાહને આ ઈજા 2024-25ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન થઈ હતી. આ ઈજા તેને 5 મેચની સિરીઝની છેલ્લી મેચમાં થઈ હતી, ત્યારબાદ તે આખી મેચ દરમિયાન બોલિંગ કરી શક્યો ન હતો. આ ઈજાને કારણે બુમરાહને ઈંગ્લેન્ડ સામેની ODI સિરીઝ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થવું પડ્યું. હવે એવા સમાચાર છે કે તે IPL 2025ના શરૂઆતના મેચોમાંથી બહાર થયો હોવાના સમાચાર છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

કેટલીક મેચો ચૂકી શકે છે

અહેવાલ મુજબ, જસપ્રીત બુમરાહ એપ્રિલની શરૂઆતમાં ટીમમાં જોડાય તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં તે માર્ચમાં યોજાનારી MIની 3 મેચ રમી શકશે નહીં. બુમરાહ કેટલી મેચો ચૂકશે અને તે ક્યારે વાપસી કરી શકશે તે હજુ સ્પષ્ટ નથી. બીસીસીઆઈ સ્ટાર બોલરની ફિટનેસ પર નજર રાખી રહ્યું છે કારણ કે આઈપીએલ પછી ટીમ ઈન્ડિયા જૂનમાં ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. આવી સ્થિતિમાં બીસીસીઆઈનું ટીમ મેનેજમેન્ટ અને મેડિકલ ટીમ બુમરાહ અંગે કોઈ ઉતાવળિયું પગલું ભરવા માંગશે નહીં. મુંબઈ ઈન્ડિયન્સ હવે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)ની મેડિકલ ટીમની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે કારણ કે NCA પહેલા બુમરાહને ફિટ જાહેર કરશે. તે પછી જ સ્ટાર બોલર માટે મુંબઈમાં જોડાવાનો માર્ગ સ્પષ્ટ થશે.

પહેલી મેચમાં મુંબઈનો મુકાબલો સીએસકે સામે થશે

તમને જણાવી દઈએ કે, IPL 2025માં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 23 માર્ચે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પછી ટીમ ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. આ મેચ 29 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ પોતાની ત્રીજી મેચ 31 માર્ચે પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમ ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રમશે. મુંબઈ તેની ચોથી મેચ 4 એપ્રિલે લખનૌ સામે રમશે. તેમજ 5મી મેચમાં તેનો સામનો RCB સામે થશે, જે 7 એપ્રિલે મુંબઈમાં રમાશે.

બુમરાહ જાન્યુઆરીથી મેદાનથી દૂર છે

બુમરાહ 4 જાન્યુઆરીએ સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે થયેલી કમરની ઇજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ત્યારબાદ બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો, જે ભારતે આ મહિનાની શરૂઆતમાં જીતી હતી. માર્ચ 2023માં સર્જરી કરાવ્યા પછી બુમરાહ પીઠની ઇજાને કારણે મેદાનની બહાર હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

Related News

Icon