ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં ક્રિકેટના મેદાનથી દૂર છે. IPL 2025માં ધમાલ મચાવ્યા બાદ, સૂર્યા સ્પોર્ટ્સ હર્નિયાથી પીડાતો હતો, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. એક તરફ ટીમ ઈન્ડિયા 5 મેચની ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડના પ્રવાસે છે, તો બીજી તરફ, ભારતીય T20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં હાજર છે. જ્યાં તેણે સ્પોર્ટ્સ હર્નિયાની સર્જરી કરાવી છે. જેની માહિતી સ્ટાર બેટ્સમેને પોતે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે.

