સાબરકાંઠામાં અનોખી વાત સામે આવી છે. જેમાં ગામના સરપંચે અંધશ્રદ્ધામાં વિધિ કરવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે. રૂપિયાનો વરસાદ કરી કરોડો રૂપિયા આપવાની રજૂઆત કરી હતી. જેમાં ફરિયાદીને 11 લાખના બદલામાં બે કરોડ રૂપિયા આપવાનું કહીને વિધિ કરવા માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા. ગામનો સરપંચ રૂપિયાનો વરસાદ કરવાનું કહીને તાંત્રિક વિધિના નામે ગામલોકો સાથે છેતરપિંડી કરતો હતો. બે વર્ષથી આવો ધંધો કરતા સરપંચને પોલીસે ઝડપી લીધો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

