Home / Lifestyle / Health : Sahiyar: Try it

Sahiyar: અજમાવી જૂઓ

Sahiyar: અજમાવી જૂઓ
  •   ખાટા ઓડકારથી રાહત પામવા પાણીમાં થોેડી વરિયાળી ઉકાળી  તેમાં સાકર નાખીને પીવું.
  •   લીંબુનો રસ અને ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવાથી કાળા ડાઘા દૂર થાય છે.
  •  ચા ના કૂચાની  ઘુણી  કરવાથી માખીનો ત્રાસ દૂર થાય છે.
  •   દૂધીની તાજી છાલર ચહેરા પર ઘસવાથી  ત્વચા ચમકીલી થાય છે.
  •   ઝાડામાં લોહી પડતું હોય તોે દાડમનો રસ પીવાથી લાભ થાય છે.
  •   શરીર પરનો મેદ ઓછો કરવા  સવારે નરણે કોઠે લીંબુના પાણીમાં  મધ ભેળવી પીવું.
  •   ફૂદીનાનો રસ પીવાથી કરમિયાથી છૂટકારો થાય છે.
  •   લીંબુ તથા ચાનું પાણી  ભેળવી વાળ ધોવાથી વાળ મુલાયમ થાય છે. 
  •   ફૂદીનાની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ત્વચા નિખરે છે.
  •   રોટલી બનાવવાના લોટમાં થોડો ચોખાનો લોટ ભેળવતા રોટલી હલકી અને ઝડપથી  પચે છે.
  •   મુખમાંના ચાંદા પર રાહત પામવા મધ ભેળવેલ પાણીથી કોગળા કરવા.
  •   દાઝ્યા પર કોપરેલ  લગાડવાથી ફોેડલા નથી થતા.
  •   હોઠ ફાટી ગયા હો તો દૂંટી પર શુદ્ધ ઘી  લગાડવું.
  •   ચહેરા પર કાકડી ઘસવાથી ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે.
  •   નરણા કોઠે તુલસીના પાંચ પાન ચાવવાથી યાદશક્તિ વધે છે.
  •   સડેલા દાંતની   રાહત પામવા લીમડાના પાનને ઉકાળી કોગળા કરવા.
  •   ૨ ચમચી ટામેટાનો રસ અને ૪ ચમચી ખાટી છાશ ભેળવી ચહેરા પર લગાડવાથી કાળાશ દૂર થાય છે.

- મીનાક્ષી તિવારી

Related News

Icon