Tourism Industry: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટુરિઝમ સેક્ટર પર માઠી અસર થઈ છે. એટલું જ નહીં કરોડો રૂપિયાનો આર્થિક ફટકો પડ્યો હતો. સંઘર્ષની પરિસ્થિતિને જોતાં ટુર પેકેજોનું ધડાધડ બુંકિંગ કેન્સલ થઈ રહ્યું છે. પરિણામે ટુર ઓપરેટરોની ઉનાળુ વેકેશન સિઝન જાણે માથે પડી છે. પ્રવાસીઓમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેના કારણે જુલાઈમાં શરૂ થનાર અમરનાથ યાત્રામાં બુકિંગનું પ્રમાણ ઘણું ઓછુ રહ્યું છે.

