Vadodara Rathyatra:વડોદરા શહેરમાં અષાઢી બીજે નિકળનારી ભગવાન જગન્નાથની 44મી રથયાત્રાના લઇને ઈસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા જે રથમાં નગરચર્યાએ નિકળવાના છે, તે રથના રંગરોગાનનું કામ હાલ ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આરિસ્સાના પુરીમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે, તેવી ડિઝાઇનનો રથ વડોદરામાં બનાવવામાં આવેલો છે અને આબેહુબ કૃતિ સમા રથમાં જ વર્ષોથી રથયાત્રા નિકળે છે. આજે આ અંગે આજે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તે પૂર્વે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

