ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલીને શાનદાર ફેરવેલ આપવા માટે ખાસ તૈયારીઓ કરી દેવાઈ છે. રોહિત શર્માએ સાતમી મેએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે, જ્યારે વિરાટ કોહલીએ 12મીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી હતી. ત્યારે રિપોર્ટ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને ખેલાડીઓને શાનદાર ફેરવેલ પાર્ટી આપવા માટે તૈયારીઓ આરંભી દીધી છે.

