12 મેના રોજ, વિરાટ કોહલી (Virat Kohli) ની 14 વર્ષની ટેસ્ટ સફરનો અંત આવ્યો. તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. રોહિત શર્મા (Rohit Sharma) પછી, વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ BCCI માટે મોટો ઝટકો છે. હવે આ બંને ખેલાડીઓ ફક્ત ODI મેચોમાં જ જોવા મળશે, કારણ કે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ, આ બંને ખેલાડીઓએ T20Iમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. રોહિત અને વિરાટનું આગામી લક્ષ્ય 2027માં યોજાનારા ODI વર્લ્ડ કપ છે, પરંતુ તે પહેલાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા પછી રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) હવે ભારત માટે ક્યારે રમશે?

