ગુજરાત રાજ્યના રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પાણી વિક્રેતાઓ સામે સખ્તમાં સખ્ત કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અશુદ્ધ અને બીમારી ફેલાવે તેવું પાણી વેચતી 20 પેઢીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. તો બીજી તરફ પાણીના સેમ્પલ ચેકિંગમાં આ પાણી વિક્રેતાઓનું પાણી ફેલ થયું હતું. 39 કંપનીઓને પાણી વિતરણ પર પણ મનાઈ ફરમાવવામાં આવી હતી.

