Home / Religion : What is Tapa?

Dharmlok: તપ એટલે શું ?

Dharmlok: તપ એટલે શું ?

માટીએ ઘડાને પૂંછયું, 'હું પણ માટી... અને તૂ... પણ માટી...' પણ પાણી મને તાણીને દૂર લઇ જાય છે. અને તૂં પાણીને તારામાં સમાવી લે છે! દિવસો સુધી-મહિનાઓ સુધી તારી અંદર ભરી પડયું રહે છે. પરંતુ તે તને ઓગાળી શક્તું નથી. ઘડાએ જવાબ આપ્યો, ભાઈ ! એ જ સત્ય છે કે, હું પણ માટી અને તૂં પણ માટી... પરંતુ હું પહેલાં પાણીમાં ભીંજાઈ પગથી ચગદાઈ, તેમાંથી મને પીંડા બનાવીને ચાકડા પર ચડાવી ખૂબ જ ઘૂમાવતાં ઘૂમાવતાં મને આકાર આપીને ધગધગતાં તાપમાં મને તપાવ્યો. તપાવ્યા બાદ પણ મને ટકોરામારી ને ચકાસ્યો. હું તેમાં ખરો ઉતર્યો. મારામાં ક્ષમતા આવી. જેથી હવે પાણી મને કોઈ પરેશાની કરતું નથી...! મને મીટાવી શક્તું નથી !

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મંદિરના ચણતરમાં વપરાયેલાં પથ્થરનું સામે રાખેલી મૂર્તિ પ્રત્યે ધ્યાન ગયું. પથ્થરથી બનાવેલ મૂર્તિનાં પથ્થરને પૂંછયું, 'ભાઈ ! તૂં પણ પથ્થર... અને હું પણ પથ્થર...! પરંતુ લોકો તારી પૂજા કરે છે અને મને કોઈ પૂછતું પણ નથી...! સવાર-સાંજ તારી આરતી ઉતારવામાં આવે છે. પણ મને કોઈ જાણતુ નથી. તારી સમક્ષ લોક મસ્તક નમાવે છે. મને પગથી લાતો મારે છે. આવો અન્યાય શાં કારણે?' મૂર્તિએ જવાબ આપ્યો... 'ભાઈ ! એ સત્ય છે હું પણ પથ્થર અને તૂં પણ પથ્થર... ! પરંતુ તું એ નથી જાણતો કે મને કેટલું કષ્ટ સહન કરવું પડયું છે. ઘણા પ્રકારનાં છીણી... હથોડા નાં ઘા સહવા પડયા છે. જેના ફળ સ્વરૂપ આજ હું આ સ્થાને પહોંચ્યો છું ! તે આટલી પીડા સહન કરી નથી. એટલાં માટે તૂં દિવાલ પર જડાઇ ગયો છે!'

આ બન્ને કાલ્પનિક કથા પ્રસંગો છે. પરંતુ આ પ્રસંગો આપણને કંઇક શીખવી જાય છે. જ્ઞાન મળે છે. કે તપનો કોઈ વિકલ્પ હોતો નથી. સામાન્યપણે આપણાં બધાને બે હાથ, બે પગ આંખો અને એક સમાન-સરખુ શરીર મળ્યું છે. પણ... કોણ જાણે એક વ્યક્તિ શિખરે પહોંચી જાય છે અને એક વ્યક્તિ ધરતી પર જ ઊભો રહે છે. સંતો- મહંતોએ કહ્યું છે... 'જેમનું જીવન તપથી પવિત્ર બની ગયું છે. તપ એટલે કે મન અને બુધ્ધિની શક્તિને આપણે  લક્ષ્યમાં રાખવાનું તે લક્ષ્યનાં રસ્તે જે કંઇ પ્રલોભનો આવે. તેને મહત્વ આપવું નહી. તેનાંથી વિચલિત પણ ન થવું. ઠંડીમાં સવારે ચાર વાગ્યે ઠંડા પાણીથી નહાવું એ તપ નથી ! ઘર પરિવારજનોને તજીને જંગલમાં જવું તપ નથી... 'તપ છે તપવું ! પ્રયાસ કરવો : પરિશ્રમ કરવો. વિદ્યાર્થી જે પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હોય તે તપ છે. એક માતા જે રાતોની રાતો જાગીને પોતાનાં બીમાર બાળકની સેવા સુશ્રુષા કરે છે. તે તપ છે.

- લાલજીભાઈ મણવર

Related News

Icon