દાહોદ મનરેગા કોભાંડમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ત્યારે મંત્રી બચુ ખાબડનાં બંને પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાં કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. લવારીયા અને ધાનપુરના મનરેગા કૌભાંડમાં ધરપકડ કરાયેલા માલ સપ્લાય કરનાર એજન્સીના પ્રોપરાઇટર તેમજ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેઓને પોલીસે કોર્ટમાં રજૂ કરી ફરી રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

