Home / Business : Adani Ports to raise funds again through bonds, targets Rs 3,000 crore!

અદાણી પોર્ટ્સ નવા બોન્ડ દ્વારા ફરીથી ભંડોળ મેળવશે, રૂપિયા 3,000 કરોડનું લક્ષ્ય!

અદાણી પોર્ટ્સ નવા બોન્ડ દ્વારા ફરીથી ભંડોળ મેળવશે,  રૂપિયા 3,000 કરોડનું લક્ષ્ય!

અદાણી પોર્ટ્સે મે મહિનાથી અત્યાર સુધીમાં ૧ બિલિયન ડોલરથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. હવે કંપની ૩,૦૦૦ કરોડના નવા બોન્ડ લાવવાની તૈયારી કરી રહી છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે વધુ એક મોટી ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી છે. આ વખતે કંપની ₹3,000 કરોડ એટલે કે લગભગ 351 મિલિયન ડોલર એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ નાણાં લાંબા ગાળાના ભારતીય ચલણમાં (₹) બોન્ડ દ્વારા એકત્ર કરવામાં આવશે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સૂત્રોના જણાવ્યા અનુસાર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ રોકાણકારો સાથે વાતચીત કરી રહી છે. હજુ સુધી એ નક્કી થયું નથી કે બોન્ડ કેટલા સમય માટે હશે અને તેના પર કેટલું વ્યાજ (કૂપન) મળશે. પરંતુ કંપની ટૂંક સમયમાં આ સોદો પૂર્ણ કરી શકે છે.

જો આ ભંડોળ એકત્રીકરણ પૂર્ણ થઈ જાય, તો અદાણી પોર્ટ્સે મે 2025થી કુલ $1 બિલિયનથી વધુનું ભંડોળ મેળવ્યું હશે. આનાથી કંપનીને તેનું જૂનું દેવું ચૂકવવામાં અને તેની નાણાકીય સ્થિતિ સુધારવામાં મદદ મળશે.

મે મહિનામાં કંપનીએ 15 વર્ષના બોન્ડ દ્વારા ₹5,000 કરોડ એકત્ર કર્યા હતા, જે ફક્ત એલઆઇસી દ્વારા ખરીદવામાં આવ્યા હતા. આ ઉપરાંત કંપનીએ DBS બેંક પાસેથી $150 મિલિયન ડોલરની લોન પણ લીધી હતી.

અદાણી એરપોર્ટ્સ યુનિટને તાજેતરમાં $750 મિલિયનનું રોકાણ મળ્યું છે, જેમાં એપોલો ગ્લોબલ જેવા વિદેશી રોકાણકારોનો પણ સમાવેશ થાય છે. આ નવી યોજના અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

Related News

Icon