
Source : gstv
દિલ્હી-NCRમાં રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય પર હોબાળો મચ્યો છે. રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવાના સુપ્રીમ કોર્ટના આદેશ પર ચાલી રહેલી બબાલ વચ્ચે આ મુદ્દો સીજેઆઈ સુધી પહોંચ્યો. એક વકીલે કોર્ટના આદેશ અંગે અરજી દાખલ કરી છે, જેના પર ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે.