અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ. મલિકની સુચના મુજબ ગુનાખોરી અટકાવવા અને ગુનેગારો પર લગામ કસવા પાસા- તડીપાર જેવી સખ્તાઈ દાખવી છે. અમદાવાદ શહેરના આવા 150થી વધુ કુખ્યાતોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છે તો 33 જેટલા ગુનેગારોને રાજ્ય બહાર તડીપાર કરવામાં આવ્યા છે.

