કડી અને વિસાવદરની પેટાચૂંટણીમાં ફરી કોંગ્રેસનો કરૂણ રકાસ થયો છે. બન્ને બેઠકોની હારની જવાબદારી સ્વીકારી શક્તિસિંહ ગોહિલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું ધરી દીધુ છે. હવે ગુજરાત કોંગ્રેસનો કાંટાળો તાજ કોના શિરે મૂકાશે તે અંગે રાજકીય અટકળો તે જ બની છે. જોકે, પાટીદાર અથવા OBC નેતાને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપાશે તેવી શક્યતા છે.

