હજુ ગઈકાલે જ ગુજરાત સહિત દેશભરમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો આજે સુરેન્દ્રનગરમાં દલિત સમાજના અધિકારોનું ચીરહરણ કરવાનો મામલો સામે આવ્યો છે. અનુસૂચિત સમાજના સ્મશાન આગળ ફાયર સ્ટેશન બનાવી દેવામાં આવતા સ્મશાનમાં જવાનો રસ્તો બંધ થયો છે. જેને પગલે દલિત સમાજના લોકો દ્વારા સુરેન્દ્રનગર રિવરફ્રન્ટ ચક્કાજામ કરવામાં આવ્યો છે.

