ભરૂચ જિલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવતી એક ઘટના સામે આવી છે.જેમાં જંબુસરની શાળામાં આચાર્યએ શિક્ષકને મિટિંગ દરમ્યાન ઉશ્કેરાઈને માર માર્યો હોવાની ઘટના બની હતી.જેમાં આચાર્યને ફરજ મોકૂફ કર્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આચાર્ય હિતેન્દ્ર સિંહ ઠાકોર અને શિક્ષક રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે બાળકોને ભણવા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

