દાહોદમાં મનરેગા કૌભાંડમાં બંને મંત્રીપુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરી લેતા દાહોદ જિલ્લામાં રાજકીય ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે. દેવગઢબારીઆ તાલુકાના લવારીયા ગામે મનરેગાના 79 જેટલા કામોમાં 21 કામો કાગળ પર બતાવી મંત્રીપુત્રએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. મનરેગા કૌભાંડ મામલે આ બીજી પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, ધરપકડ બાદ કોર્ટે આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

