અમદાવાદ જિલ્લાના બાવળા શહેરમાં આવેલા રામનગરમાં પ્રેમપ્રકરણમાં પ્રેમિકાને ગળાના ભાગે છરાના ઘા મારી હત્યા કરી પ્રેમી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. મૃતક પ્રેમિકા લલિતાબેન ઠાકોર અને તેના પ્રેમી મનસુખ રાવળ વચ્ચે ઘણા વર્ષોથી પ્રેમસંબંધ હતો. પરંતુ આજે અચાનક આ વર્ષો જૂના પ્રેમ પ્રકરણનો કરૂણ અંત આવ્યો હતો.

