Anand news: આણંદ જિલ્લાના ઉમરેઠનું શિક્ષક દંપતી પવિત્ર ચારધામની યાત્રા કરવા ગયા બાદ છેલ્લા સવા મહિના ઉપર થવા છતાં કોઈ અતો પતો નથી. શિક્ષક મૂકેશ પટેલ અને તેમના પત્ની મનીષા પટેલ ધાર્મિક યાત્રાએ ચારધામ ગયા હતા. ઉમરેઠમાં બંને શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જો કે બીજી તરફ આ શિક્ષક દંપતી કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયા હોવાની વાતો પણ સામે આવી રહી છે. સાથી શિક્ષકો, મિત્રો અને ઓળખીતાઓ પાસેથી આ શિક્ષક દંપતીએ ઉછીના પૈસા લીધા હતા. ગુમ શિક્ષક દંપતીનો પુત્ર કેનેડામાં સેટલ હોય ત્યાં ભાગ્ય હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.

