લોક જનશક્તિ પાર્ટી(રામ વિલાસ)ના ચીફ અને સાંસદ ચિરાગ પાસવાન આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં મેદાને આવે તેવી શક્યતા છે. તેમણે પોતે જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીની જગ્યાએ બિહારના રાજકારણમાં આવવા માંગે છે. તેમના આ નિવેદન બાદ રાજ્યમાં અટકળોનો દોર શરુ થયો છે કે તેઓ કઈ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે.

