Banaskantha news: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાલડી ગામે તાજેતરમાં ભગવાન દૂધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં દલિત સમાજની અવગણના કરવામાં આવી હતી અને સમાજ દ્વારા અપાતો ફાળો પણ ન લેવાયો અને મંદિરમાં પણ પ્રવેશ ન અપાયો જેથી આ મામલે દલિત સમાજ દ્વારા અત્યાર સુધી કુલ 20 લોકો સામે ફરિયાદ નોધાઈ જેમાં હજું એક પણની ધરપકડ ન થતા સમાજ દ્વારા પોલીસને તારીખ 21 મે 2025 સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું કે જો આગામી સમયમાં તમામ આરોપીઓની ધરપકડ ન કરવામાં આવી તો તારીખ 22 મે 2025ના રોજ બનાસ નદી પરનો પુલ બંધ કરી સમાજ દ્વારા ચક્કાજામ કરવામાં આવશે જેની સપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની રહેશે આમ હાલ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

