ગોંડલમાં જયરાજસિંહના બંગલે મારામારી બાદ જાટ યુવક રાજકુમારના મોત બાદ મૃતક યુવકના પરિવારજનોએ ગુજરાત હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરી છે. અગાઉ કેસની તપાસ સીબીઆઈ કરે તેવી પણ માંગ કરી છે. મૃતક યુવકને ન્યાય મળે તે માટે રાજસ્થાનની રાજધાની જયપુરમાં આક્રોશ રેલી પણ યોજાઈ હતી. આ રેલીમાં પણ રાજકુમાર જાટને ન્યાય મળે તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારબાદ આજે જાટ યુવકના પરિવારજનો ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

