પહેલગામ હુમલાની અસર જમ્મુ અને કાશ્મીરના પર્યટન પર દેખાઈ રહી છે. એક દિવસ પહેલા સુધી જે રસ્તાઓ પ્રવાસીઓથી ધમધમતા હતા તે અચાનક સૂનસાન થઈ ગયા છે. હુમલા પછી બુધવારથી અહીં ભાગ્યે જ કોઈ લોકો જોવા મળ્યા છે. બધે જ સુરક્ષા દળોના જવાનો દેખાય છે. આખું બજાર બંધ છે. અહીં લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. મંદિરોથી લઈને મસ્જિદો સુધી, પહેલગામ અને આસપાસના વિસ્તારોમાં બધું જ ખાલી દેખાઈ રહ્યું છે.

