જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારમે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણના મોત નિપજ્યા છે. ભારે વરસાદને કારણે પૂર આવવાથી જમ્મુથી શ્રીનગર જતા વચ્ચે આવેલા રામબન-બનિહાલ હાઈવે પર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાઈ છે. તો કેટલાક વાહનો ખીણમાં પડી હોવાની માહિતી મળી છે. જેના કારણે આ રૂટ પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો છે. કાશ્મીર પોલીસે જમ્મુથી આવતા લોકોને તાત્કાવિકધોરણે પાછા વળવાની સુચના આપી હતી.

